હાલાર: જામનગર તા.01 ઓક્ટોબર, ભારત સરકાર દ્વારા ખરીફ 2024-25 ના પાકો માટે ટેકાનો ભાવો જાહેર કરેલ છે. જે અન્વયે મગફળી માટે રૂ.6,783, મગ માટે રૂ.8,682, અડદ માટે રૂ.7,400 અને સોયાબીન માટે રૂ.4,892 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે.
| પાક | ભાવ પ્રતિ ક્વિન્ટલ | ભાવ પ્રતિ મણ |
| મગફળી | ₹. 6,783 | ₹. 1,356.6 |
| મગ | ₹. 8,682 | ₹. 1,736.4 |
| અડદ | ₹. 7,400 | ₹. 1,480 |
| સોયાબીન | ₹. 4,892 | ₹. 9,78.5 |
સદરહુ પાકોની ટેકાના ભાવે ખરીદી આગામી તા.11/11/2024થી શરૂ કરવામાં આવશે. આ ખરીદીમાં જે ખેડુતો ઉક્ત પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેઓને તા.03/10/2024થી તા.31/10/2024 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત નોંધણી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવે છે.

