- કોવિશિલ્ડ રસીની આડઅસર અંગે મોટો ખુલાસો
- રસી લીધા પછી રક્ત વાહિનીઓમાં લોહીનાં બને છે ગઠ્ઠા
- આ આડઅસર ભાગ્યે જ કોઈને થાય છે
આંતરરાષ્ટ્રીય: રસી નિર્માતા કંપની એસ્ટ્રાઝેનેકાએ પ્રથમ વખત સ્વીકાર્યું છે કે કોવિશિલ્ડ બ્રાન્ડ હેઠળ વેચાતી તેની એન્ટી-કોરોનાવાયરસ રસીથી આડઅસર થઈ શકે છે. કંપનીએ યુકે હાઈકોર્ટમાં સબમિટ કરેલા દસ્તાવેજમાં સ્વીકાર્યું છે કે રસી લીધા પછી થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) થવાનું જોખમ રહેલું છે. એટલે કે શરીરમાં રહેલા લોહીના ગઠ્ઠા બની શકે છે. આ કારણે રક્તવાહિનીઓમાં લોહી ગંઠાવાનું નિર્માણ થાય છે અને પ્લેટલેટની સંખ્યામાં ઘટાડો થાય છે.
રક્ત વાહિનીઓમાં લોહી ગંઠાવાનું નિર્માણ થાય છે
આ રસીના કારણે રક્તવાહિનીઓમાં લોહી ગંઠાવાનું નિર્માણ થાય છે અને પ્લેટલેટની સંખ્યામાં ઘટાડો થાય છે. જોકે આ દુર્લભ કિસ્સાઓમાં થાય છે. તબીબી નિષ્ણાત ડૉ. રાજીવ જયદેવને જણાવ્યું હતું કે એન્ટિ-કોરોના રસીએ લોકોના જીવન બચાવ્યા છે, પરંતુ ભાગ્યે જ કોઈ કિસ્સાઓમાં, મગજ અથવા અન્ય રક્ત વાહિનીઓમાં લોહી ગંઠાવાનું કરણ બની શકે છે.
AstraZeneca-Oxford રસી હવે બ્રિટનમાં આપવામાં આવતી નથી
AstraZeneca-Oxfordની રસીને સુરક્ષાનાં મુદ્દાને ધ્યાને લઈને હવે બ્રિટનમાં આપવામાં આવતી નથી. નોંધનીય છે કે ગયા વર્ષે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ તેના રિપોર્ટમાં કહ્યું હતું કે જે લોકોને એન્ટી-કોરોનાવાયરસ રસી આપવામાં આવી હતી તેમાં TTSની અસર જોવા મળી હતી.